લખનઉ:  નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને સમગ્ર ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં હિંસા આચરનારા અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકો વિરુદ્ધ યુપી સરકાર કડકાઈ વર્તી રહી છે. યુપીની યોગી સરકારે (Yogi Government) પરદેશમાં 498 લોકોને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાના મામલે ઓળખ કરી છે. હવે સરકાર આ 498 લોકોની સંપત્તિ જપ્ત કરવાની તૈયારીમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CAA: સમગ્ર યુપીમાં કલમ 144 લાગુ, 14 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત


આ અગાઉ ગુરુવારે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સાર્વજનિક અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારા આરોપીઓની ઓળખ કરીને 373 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. હકીકતમાં લખનઉ (Lucknow) માં 19 ડિસેમ્બરના રોજ થયેલી હિંસાની ઘટના બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે (Yogi Adityanath) નિર્દેશ આપ્યા હતાં કે જે લોકોએ પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું તેમની ઓળખ કરીને તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે. નોટિસમાં મોટાભાગના એવા લોકો સામેલ છે જેમની ઓળખ વિરોધ પ્રદર્શન અને ધરપકડ વખતે લેવાયેલા વીડિઓ અને તસવીરોને સ્કેન કરીને કરાઈ છે. 


CAA-NRC ના કારણે 40% હિંદુ વસ્તી પ્રભાવિત થશે: પ્રકાશ આંબેડકરનો દાવો


કયા કયા જિલ્લામાં મોકલાઈ નોટિસ
રામપુર, સંભલ સહિત મુરાદાબાદ મંડલમાં 200, લખનઉમાં 110, ફિરોઝાબાદમાં 29, ગોરખપુરમાં 34, રામપુરમાં 28 ઉપદ્રવીઓને સંપત્તિ વસૂલીની નોટિસ મોકલવામાં આવી છે. બિજનોરમાં 20 ડિસેમ્બરે થયેલા હિંસક પ્રદર્શન દરમિયાન થયેલા નુકસાનની આકરણી કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે 43 લોકોને વસૂલાતની નોટિસ ફટકારી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....